Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

જુનાગઢ ભાજપના પીઢ અગ્રણી સ્વ.નારસિંહભાઇ પઢીયારના યુવા તબીબ પૌત્ર ડો. મીલાપસિંહ પઢીયારનું ઉદયપુર પાસે અકસ્માતમાં મોત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ ભાજપના પીઢ અગ્રણી સ્વ.નારસિંહભાઇ પઢીયારના પૌત્ર અને યોગીભાઇ પઢીયારના પુત્ર ડો. મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢીયાર (ઉ.વ.રર)નું ઉદયપુર પાસે અકસ્માતમાં મૃત્યુ થતા ઘેરો શોક છવાઇ ગયો છે.

મૃતક ડો.મિલાપસિંહ પઢીયારે તાજેતરમાં જ ફીલીપાઇન્સ ખાતે ડોકટરેટની ડીગ્રી પ્રાપ્ત કરી હતી અને એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કર્યો હતો.

નરેન્દ્રસિંહ પઢીયારના ભત્રીજા તથા જય પઢીયારના પિતરાઇ ભાઇ તેમજ સુરેન્દ્રનગરના વાઘુભા મોરીના ભાણેજનું આજે તા.૧૮ને શનીવારે અવસાન થયેલ છે. તેની એતિમવિધિ કાલે તા. ૧૯ને રવીવારે સવારે ૭ વાગ્યે તેમના નિવાસસ્થાન 'પ્રભુપ્રસાદ', મોતીબાગ રોડ જુનાગઢથી નિકળશે.

સદગતની પ્રાર્થના સભા તા. ર૦ને સોમવારે સાંજે ૪ થી ૬ અક્ષર મંદિર, સ્વામીનારાયણ મંદિર, ટીંબાવાડી રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

(4:26 pm IST)