Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

અંકલેશ્વરની નોબારિયા સ્કૂલ નજીકથી યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો : ચકચાર

પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો : માથાના ભાગે પથ્થર મારી તેની હત્યા કરાયાનું તારણ

અંકલેશ્વર : અંકલેશ્વરની નોબારીયા સ્કૂલ નજીકથી હત્યા કરાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર શહેરમાં આવેલ નોબારીયા સ્કૂલની બિલ્ડીંગ પાસેથી અજાણ્યા યુવાનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અજાણ્યા મૃતક યુવાનના માથાના ભાગે પથ્થર મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.

મૃતક યુવાન મૂળ આમોદ તાલુકાનાં કોલવણા ગામનો અને હાલ અંકલેશ્વર તાલુકાનાં ઉમરવાડા ગામના તળાવની સામે રહેતો 42 વર્ષીય વિઠ્ઠલભાઇ સુરાભાઇ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે હાલ તો પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:17 am IST)