Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજ્યના નાગરિકોને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

આ પર્વ સમાજમાં પ્રેમ, શાંતિ, સામાજિક સમરસતા અને બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે.

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુક્રવાર, તારીખ ૧૯મી ઓગષ્ટે ઉજવાનારા જન્માષ્ટમીના પાવન પર્વ અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે
મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું  પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજમાં  પ્રેમ, શાંતિ, સામાજિક સમરસતા અને બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે. 

(6:47 pm IST)