Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અમદાવાદ સહીત મહાનગરોમાં વકરતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના: છેલ્લા 24 કલાકમાં 225 નવા કેસ નોંધાયા:વધુ 141 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,15.033 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 78.261 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1186 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 225 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 141 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.15.033 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું  છે,રાજ્યમાં આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.02 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 78.261 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.07.96.664 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 1186 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં છ દર્દી વેન્ટિલેટર પર છે,અને અને 1180 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 225 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 118 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 25 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 25 કેસ,સુરત કોર્પોરેશનમાં 22 કેસ,સુરતમાં 10 કેસ,આણંદમાં 8 કેસ, કચ્છ અને રાજકોટ કોર્પોરેશનમાં 5-5 કેસ, રાજકોટ અને વલસાડમાં 4-4 કેસ, અમદાવાદ,ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર કોર્પોરેશન ,મહેસાણા,અને પાટણમાં 3-3 કેસ, ભરૂચ,નવસારી,અને વડોદરામાં 2-2 કેસ, જામનગર કોર્પોરેશન,પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો

(7:41 pm IST)