Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજપીપળા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે લાભ મળતાં વેરા ભરવા મિલકતદારો ઉતાવળા બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાનાં વેરાના લાખો રૂપિયાનું લેણું લોકો પાસે બાકી હોય અવાર નવાર જાણ કરવા છતાં કેટલાક મિલકતદારો આળસ ન ખંખેરતા હાલમાં નગરપાલિકા દ્વારા અમુક લાભ આપવાની જાહેરાત કરાઈ અને તે માટેના પેમ્પ્લેટો નું પણ વિતરણ કરાયું હતું જેના કારણે હાલમાં ઘણા મિલકતદારો વેરો ભરપાઈ કરતા જોવા મળ્યા છે
રાજપીપળા નગરપાલિકા પ્રમુખ કુલદીસિંહ ગોહિલ અને મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા એ બાકી વેરા માટે મિલકતદારો ને અમુક લાભ આપવાની જાહેરાત કરતા હાલમાં વેરો ભરવા લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે આવનાર દિવસોમાં બાકી વેરા પૈકી મોટી રકમ પાલિકાની તિજોરીમાં જમા થશે તેમ પ્રમુખ કુલદીસિંહ ગોહિલ જણાવ્યું હતું

(10:15 pm IST)