Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

હાર્દિક પટેલના જવાથી ડેમેજ કંટ્રોલની કવાયત : કાલે નરેશભાઈ પટેલને મળશે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા

ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવા આવતીકાલથી રઘુ શર્મા 4 દિવસની ગુજરાત મુલાકાત કરશે: ખોડલધામ પછીની મુલાકાત બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યુ હતું. નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં આવશે તેવી ચર્ચા છે માટે હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઇ ગયું

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનથી ઉભરેલા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આખરે કોંગ્રેસને બાયબાય કહી દીધું છે..પાર્ટી પ્રવેશ સાથે જ કાર્યકારી અધ્યક્ષ બનાવી કોંગ્રેસે હાર્દિકને હથેળીમાં રાખવા પ્રયત્ન કર્યા પરંતુ હાર્દિક હાથમાં ન રહ્યો અને માત્ર 1161 દિવસ કોંગ્રેસમાં રહ્યા બાદ સનસનીખેજ પત્ર લખી કોંગ્રેસ ના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું.

ત્યારે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવા આવતીકાલથી રઘુ શર્મા 4 દિવસની ગુજરાત મુલાકાત કરશે. પ્રથમ દિવસે  કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માઆવતીકાલે નરેશભાઈ પટેલ સાથે મુલાકાત કરશે.હાર્દિકના જવાથી કોંગ્રેસને થનારા નુકશાન સરભર કરવા તેમજ નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં લાવવા પ્રયાસો કરશે.

(9:21 pm IST)