Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અંકલેશ્વરના પિરામણ ગામે પશુઓના ઘાસચારાના જથ્થામાં આગ ભભૂકી

ઘાસના 6000 પૂળા મૂંગા પશુઓ માટે સંગ્રહ કરાયો હતો ;આગ લાગી કે લગાડાઇ ?તપાસ શરૂ

અંકલેશ્વરના પીરામણ ગામે પશુઓ ઘાસચારાના જથ્થામાં આગ ભભુકતા દોડધામ મચી જવા પામી હતી.અંદાજે  6000 થી વધુ ઘાસના પૂળા ખેડૂત દ્વારા મૂંગા પશુ માટે સંગ્રહ કર્યો હતો.ત્યારે  આગ લાગી કે પછી કોઈએ લગાવી તપાસનો વિષય બનવા પામ્યો છે
  આગની ઘટનાની ગ્રામજનો દ્વારા ડીપીએમસીમાં જાણ કરતા ફાયર ફાઇટર દોડી આવી ભાર જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર ના પીરામણ ગામ ખાતે ગત મોડી રાત્રીના ઘાસના 6000 હજાર પૂળા મા કોઈક કારણસર આગ લાગી હતી.ગામ ખાતે આવેલા કબ્રસ્તાન પાસે પશુ ચારાને ખાવા માટે મૂકવામાં ધાસના જથ્થામાં આગ લાગી હતી.

(11:26 pm IST)