Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ખેડૂતને ૧ ગાય દીઠ વાર્ષિક રૂ. ૧૦ હજારથી વધુની સહાય : કૃષિક્રાંતી માટે ગુજરાત દેશને રાહ ચીંધશે : વિજયભાઇ રૂપાણી

દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહક યોજનાથી ખેડૂતોનો પુરૂષાર્થ પારસમણી બનીને ખેતરોમાં લહેરાશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા 'સાત પગલા ખેડૂત કલ્યાણના' યોજના અંતર્ગત દેશી ગાય અને જીવામૃત યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ

રાજકોટ,તા. ૧૭:મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું છે કે, જગતનો તાત સાચા અર્થમાં તાત બને તે દિશામાં અમે નિર્ધાર કરીને સમયબદ્ઘ આયોજન કર્યું છે. ઉત્ત્।મથી સર્વોત્ત્।મ તરફ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફવાળીને હરિતક્રાંતીના નિર્માણ ક્ષેત્રે પણ દેશભરમાં ગુજરાત રોલ મોડલ પુરવાર થશે.

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિન નિમિત્ત્।ે ખેડૂતોના કલ્યાણ માટે ગુજરાત સરકારે જાહેર કરેલી 'સાત પગલાં ખેડૂત કલ્યાણાના' યોજનાના બીજા ચરણમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને જીવામૃત બનાવવાના યોજનાનો રાજય વ્યાપી શુભારંભ મુખ્યમંત્રીશ્રી કરાવ્યો છે. રાજયના ૭૦ સ્થળોએ યોજાયેલા આ સમારોહમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો સહભાગી થયા હતા.

ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સંલગ્ન બે યોજનાઓના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થશે. તેમણે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહક યોજનાથી ખેડૂતોનો પુરુષાર્થ પારસમણી બનીને ખેતરોમાં લહેરાશે.

રાજયપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાય ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી છે એટલે જ વેદોમાં ગાવો વિશ્વસ્ય માતરઃ અર્થાત કલ્યાણકારી ગાયને વિશ્વની માતા સમાન ગણાવાઇ છે. સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત દેશી ગાયના પાલન માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ માસ રૂ. ૯૦૦ ની સહાય તેમજ પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાયના છાણ અને ગૌ મૂત્રની મદદથી બનતા કુદરતી ખાતર જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા માટે ખેડૂતોને રૂ. ૧૩૫૦ના સાધન સહાય આપવાની આ બે યોજનાઓ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે નવું બળ પૂરું પાડશે.

રાજયપાલશ્રીએ ગુરુકુળ કુરુક્ષેત્રમાં ૨૦૦ એકર જમીનમાં થઇ રહેલી પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવતાં જણાવ્યું હતું કે, આ કૃષિ પદ્ઘતિથી જમીનની ફળદ્રુપતા વધે છે, જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે તેમજ દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે. આ પદ્ઘતિમાં કૃષિ ખર્ચ નહિવત હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ લીધો છે તેને સાકાર કરવામાં પ્રાકૃતિક કૃષિ સ્વયં રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ બની રહશે એટલું જ નહીં રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી લોકોના સ્વાસ્થ્યને થતી હાનિને અટકાવી શકાશે. રાજયપાલશ્રીએ એમ પણ જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશને રાહ ચીંધશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને રાજયના ૬.૫ કરોડ નાગરિકો વતી શુભેચ્છાઓ આપતા કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત માતા જગત જનની બને એવી ઇશ્વર એમને શકિત અને દિદ્યાર્યુ આપે એવી પ્રાર્થના કરૂ છું.

મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે, કૃષિ સંસ્કૃતિના હિતેચ્છુ અને હિમાયતી રહેલા વડાપ્રધાનશ્રી જયારે રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેડૂતોને આકાશી ખેતી છોડીને ટપક સિંચાઇ, સ્પ્રિંકલર અને ઓર્ગેનિક ખેતી કરતા થાય એ માટે શરૂ કરેલા કૃષિ મહોત્સવના પરિણામે રાજયનો કૃષિ વિકાસદર ડબલ ડીજીટમાં પહોંચ્યો છે. તેમણે જમીનને પારખીને ખેડૂતો ખેતી કરે એ માટે સોઇલ હેલ્થકાર્ડ અને લેબ ટુ લેન્ડ નો અભિગમ થકી દીર્દ્ય દ્રષ્ટિપૂર્વક આયોજન કર્યુ જેના પરિણામે આ શકય બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે અનેકવિદ નવા આયામો હાથ ધર્યા છે. સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજનામાં આજે બીજા ચરણમાં આ બે પગલાં ચોક્કસ મહત્વના પુરવાર થશે. રાજયના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગાય આધારિત ખેતી અને જીવામૃત બનાવવા માટે સહાય આપવાનો આ કાર્યક્રમ ખેડૂતો માટે નવી આશાનું કિરણ લાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

તેમણે ઉમેર્યુ કે, ખેતી સુખી તો ખેડૂત સુખી, ખેડૂત સુખી તો ગામડું સુખી અને ગામડું સુખી તો દેશ સમૃદ્ઘ થશે ભૂતકાળની સરકારોએ ખેડૂતોની કયારેય ચિંતા નથી કરી એટલી અમે આજે કરી રહ્યા છીએ. પંડિત દિન દયાળજીના મંત્ર 'હર હાથ કો કામ, હર ખેત કો પાની' ને સાકાર કરવો એ અમારો નિર્ધાર છે. એને રાજયના ખેડૂતો ચોક્કસ સાકાર કરશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

તેમણે કહ્યું કે, ખેડૂતોને પૂરતું પાણી, બિયારણ મળે તો ચોક્કસ ઉત્પાદન વધે જ ભૂતકાળમાં ખેડૂતોને ૧૮ ટકા વ્યાજથી લોન અપાતી હતી એ આજે અમે ઝીરો ટકા વ્યાજથી લોન આપીએ છીએ. જેના પરિણામે ખેડૂતોનું ખેત ઉત્પાદન વધ્યુ છે અને આર્થિક રીતે સદ્ઘર થયા અને ખેડૂતો આત્મહત્યા ન કરે એ દિશામાં અમારા સક્રિય પ્રયાસો છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડવા માટે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર પ્રોજેકટના નિર્માણમાં UPA સરકાર વખતે અનેક વિઘ્નો આવ્યા હતા જે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દૂર કર્યા અને સરદાર સરોવર પ્રોજેકટ પૂર્ણ થયો ડેમની ૭૦૦ કી.મી.ની કેનાલો થકી ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડી રહ્યા છીએ. છેલ્લા બે વર્ષમાં ડેમ છલોછલ પૂર્ણ સપાટીએ ભરાઇ ગયો જે માત્રને માત્ર વડાપ્રધાનશ્રીના સંકલ્પને આભારી છે.

સિંચાઇ માટે સૌરાષ્ટ્રમાં સૌની યોજના, ઉત્ત્।ર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અને કચ્છને નર્મદા યોજના થકી પાણી પહોંચાડીને ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં ખેડૂતોને લંગડી વિજળી મળતી, ટ્રાન્સફોર્મેર બળી જતા ત્યારે અમારી સરકારે ખેડૂતોને ટકાઉ અને ગુણવત્ત્।ાયુકત વીજળી પૂરી પાડવા માટે જયોતિગ્રામ યોજના અમલી કરીને ખેડૂતોનો ઉભો પાક બચાવ્યો છે.

તેમણે કહ્યું કે, સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના નવતર અભિગમને પરિણામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને ઝીરો બજેટ ખેતી થશે એટલે ખર્ચ દ્યટશે. તેમણે કહ્યુ કે, રાજયપાલશ્રીની પ્રેરણાથી રાજયમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવામાં સફળતા મળી છે. ઝીરો બજેટ ખેતીના કારણે હવે ખેડૂત બિચારો-બાપડો રહેશે નહી અને દેશી ગાય આધારિત ખેતી કરીને પાક ઉત્પાદનમાં વધારો થશે એવી તાકાત મારા ગુજરાતના ખેડૂતોમાં છે એવો મને વિશ્વાસ છે.

મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ગુણવત્ત્।ાયુકત અને રસાયણયમુકત ખેત પેદાશ, સ્વસ્થ ખોરાક, જમીન અને પર્યાવરણ સુધારણા વિગેરે જેવા જરૂરી અભિગમો માટે પ્રાકૃતિક કૃષિ એક ઉત્ત્।મ વિકલ્પના રૂપમાં સામે આવી છે ત્યારે આપની પાસે ઉપલબ્ધ દેશી ગાયના નિભાવ ખર્ચ માટે રૂ. ૯૦૦ પ્રતિ માસ સહાય એમ ખેડૂતને ૧ ગાય દીઠ વાર્ષિક રૂ. ૧૦ હજારથી વધુની સહાય આપવામાં આવશે. રાજયના કુલ ૧,૦૫,૦૦૦ લાખ લાભાર્થી ખેડૂતો માટે રૂ. ૬૬.૫૦ કરોડની જોગવાઇ અને દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટ માટે રૂ. ૧૩૫૦/- પ્રતિ કિટ સહાય, કુલ ૧,૦૦,૦૦૦ લાખ લાભાર્થી ખેડૂતો માટે રૂ. ૧૩.૫૦ કરોડની જોગવાઇ વાળી આ બે યોજનાઓ સાત પગલાં ખેડૂત કલ્યાણનાં ભાગરૂપે અમલમાં મુકવામાં આવી છે. જે સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવા માટે બળ પુરૂ પડશે. આપ સૌ આ યોજનાઓના લાભ મેળવી રાજય અને દેશના વિકાસને નવી દિશા આપશે તેવી શુભેચ્છઓ મુખ્યમંત્રીશ્રી વ્યકત કરી હતી.

કૃષિ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે સ્વાગત પ્રવચન કરી રાજય સરકાર દ્વારા અમલી આ નવી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાની વિસ્તૃત માહિતી આપીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવો ગાય આધારિત ખેતી કરવા માટે ખેડૂતોને સહાયના ચેક ટોકન સ્વરૂપે એનાયત કરાયા હતા તથા બેસ્ટ આત્મા એવોર્ડ પણ એનાયત કર્યા હતા.

આ પ્રસંગે કૃષિ વિભાગના સચિવશ્રી મનીષ ભારદ્વાજ સહિત કૃષિ વિભાગના અધિકારીઓ તથા વિવિધ જિલ્લા મથકોએ પદાધિકારીઓ અને કૃષિકારો જોડાયા હતા.

(2:55 pm IST)