Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કેવડીયાની જવાહર નવોદય વિદ્યાલય માં આચાર્યા ના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : 15 ઓગસ્ટ એ 75માં સ્વાતંત્ર્ય પર્વમાં કેવડીયા ખાતેની જવાહર નવોદય વિદ્યાલયમાં આચાર્યા શેફાલી સિંહ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું
આઝાદીના ૭૫માં વર્ષમાં મંગળ પ્રવેશ ના આગમન સાથે દેશભક્તિ ગીત તેમના દ્વારા ગાવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો . શાળામાં દેશભક્તિ ના ગીતવિચારો શિક્ષક મહેન્દ્રવરભે અશોક મકવાણા , દિલીપ કોલચા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા, શાળામાં અમૃત મહોત્સવમાં દેશને આઝાદી આપવામાં યોગદાન આપનાર દેશભક્તોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી તથા તેમની તસવીરો પર પુષ્પમાળા અર્પણ કરી હતી .   આ કાર્યક્રમમાં ધોરણ -8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઝરણા કુમારી દ્વારા " એ મેરે વતન કે લોગો " -ગીત સુંદર રીતે ગવાતા આખો માહોલ દેશભક્તિ મય બન્યો હતો,શાળા ના શિક્ષકો દ્વારા દેશભક્તિના વિચારો આપ્યા હતા આ શાળા ના સંગીત શિક્ષક આવૃત સર દ્વારા મધુર સંગીત દ્વારા વાતાવરણ ને દેશભક્તિની ભાવના સાથે મંત્ર મુગ્ધ કરી દીધા હતા,શાળાના આચાર્યો દ્વારા ઓનલાઈન શાળાના બાળકોને જોડ્યા હતા . તથા આચાર્યા શેફાલી સિંહ એ દેશભક્તિ નો સંદેશ તમામ લોકો સુધી પહોંચે તેવો મેસેજ આપ્યો હતો,કાર્યક્રમ ના અંત માં આભારવિધિ સી.બી વસાવા એ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

(11:18 pm IST)