Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સુરતના લીંબાયતમાં ત્રણ માળાનું મકાન નમી જતા લોકોમાં ભયનો માહોલ

ગટરલાઇનના ખોદાયેલા ખાડાઓના કારણે મકાન નમી ગયાનો દાવો :મકાન તોડી પાડવાના ભયે જાણ નથી કરાઈ

સુરત ;સુરતના લીંબાયત વિસ્તારના એક ત્રણ માળના મકાન નમી જતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે અંગે જાણવા મળતી વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં તાજેતરમાં મહાનગર પાલિકા દ્વારા ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતું. વખતે ખોદાયેલા ખાડાઓના પગલે એક ત્રણ માળનું મકાન નમી ગયું હતું. જો કે, લોકોએ અંગે તંત્રને જાણ નહોતી કરી. જો કે, બિલ્ડીંગ નમી પડતાં રહેવાસીઓમાં ભયનો માહોલ પેદા થયો છે.
  
બિલ્ડીંગ તોડી પાડવાની દહેશતે નથી કરાઈ ફરિયાદ લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદ નગરમાં નમી ગયેલા બિલ્ડીંગથી લોકોમાં ભય ફેલાયો છે.

(1:04 am IST)