Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

નવસારી રેલવે સ્ટેશને સૂર્યનગરી એક્સપ્રેસની અડફેટે ધાનેરા પંથકના રત્નકલાકારનું મોત

નવસારી;અહીંના  રેલવે સ્ટેશને સૂર્યનગરી એક્સપ્રેસની અડફટે આવી જતાં નવસારીમાં રહેતા રત્નકલાકારનું મોત નીપજ્યું હતું.જાણવા મળ્યા મુજબ મૂળ ધાનેરા પંથકના ધોખાભાઇ મશરુભાઇ સોલંકી નવસારીમાં મિથીલાનગરી વિસ્તારમાં રહેતા હતા.તેઓ વ્યવસાયે રત્નકલાકાર હતા અને હીરાનું કામ કરવા માટે નવસારીથી સુરત ટ્રેનમાં અપડાઉન કરતા હતા આજે ધોખાભાઇ સોલંકી સુરત જવા માટે ઇન્ટરસીટી ટ્રેન પકડવા નવસારી રેલવે સ્ટેશને ગયા હતા.

(12:56 am IST)