Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પાલનપુર :અમીરગઢના ઇકબાલગઢ પુલ પાસે વાહનની ટક્કર લાગતા કારમાં સવારનું અને સ્લીપ થતા બાઈક ચાલકનું મોત

-અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકોના પરિવારમાં ઘેરો શોક :કારમાં બેઠેલા ત્રણ લોકોને ઇજા :પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા

 

પાલનપુર:પાલનપુર પંથકમાં એબ અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા છે જયારે અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી છે જેઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અંગની વિગત મુજબ પાલનપુરના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક એક કાર ચાલકે તેની આગળ જઈ રહેલ વાહનને ઓવરટેક કરવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો તેમાં એકનું મોત થયુ હતુ. જ્યારે અન્ય ત્રણને ઈજાઓ થતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પીલુચા નજીક મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત નિપજ્યું હતુ.

   અંગેની વિગત મુજબ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પુલ પાસે નજીક સરોત્રી ગોળીયા ગામની સીમમાંથી પસાર થતી એક સેવરોલેટ કારના ચાલકે આગળ જઈ રહેલ વાહનની ઓવરટેક કરવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા અજાણ્યા વાહનને પાછળના ભાગે ટક્કર વાગતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર અજીતસિંગ ઉત્તમસિંગ બોડાણાનું મોત નિપજ્યું હતુ. જ્યારે રાજેન્દ્રસિંગ ચંદનસિંગ ચૌહાણ ..૩૦ (રહે.પાલનપુર), રાકેશભાઈ ચહેરાભાઈ દેસાઈ ..૪ર (રહે.સોનબાગ,પાલનપુર) તથા ધીરજભાઈ કાનજીભાઈ ઠાકોર ..૪૮ (રહે.પીંપળી ભાગળ) ને ઈજાઓ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 બીજા એક બનાવમાં વડગામ તાલુકાના પીલુચાથી ઈકબાલગઢ તરફ જતા માર્ગમાં એક મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા મોટર સાયકલ ચાલક બાબુજી મોતીજી ઠાકોરને માથામાં તથા કાનમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં મોત નિપજ્યુ હતુ અકસ્માતના અલગ-અલગ બે અકસ્માતમાં બે ના મોત જ્યારે ત્રણ વ્યક્તિઓ ઘાયલ થવા પામ્યા હતા અકસ્માતમાં મૃત્યુ પામેલ બન્ને યુવકોના પરીવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

(12:04 am IST)