Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મા જગદંબા મને સંઘર્ષ કરવાની શકિત આપેઃ શકિતપીઠ અંબાજી માતાજીના દર્શને હાર્દિક પટેલ

રાજકોટ :. અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્‍વીનર હાર્દિક પટેલ આજે શકિતપીઠ અંબાજી માતાજીના દર્શને આવ્‍યા હતા. ગઈકાલે વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે હાર્દિક પટેલ શકિતપીઠ અંબાજી માતાજીના દર્શને પોતાના સમર્થકો સાથે પહોંચ્‍યા હતા. ચૂસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે હાર્દિક પટેલનું આગમન થયુ હતું. જ્‍યાં અંબાજી માતાજીના મંદિરના પૂજારી દ્વારા હાર્દિક પટેલને અંબાજી માતાજીનું પૂજન-અર્ચન કરાવાયુ હતું. આ તકે હાર્દિક પટેલે માં અંબાજીના ચરણોમાં માથુ ટેકવીને ગુજરાતની સુખ-સમૃદ્ધિ અને આરોગ્‍ય માટે પ્રાર્થના કરી હતી અને માં જગદંબા મને સંઘર્ષ કરવાની  શકિત   આપે   તેમ જણાવ્‍યુ હતું.

(3:56 pm IST)