Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

દાઉદી વ્હોરા ધર્મગુરૂ સાંજે અમદાવાદ આવશે

જસદણ, તા. ૧પ : દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્લભાઇ સાહેબ 'સૈફૂદ્દીન' (ત.ઉ.શ.) સાંજે અમદાવાદ જીયારત માટે પધારશે.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા કુત્બુદ્દીન શહીદ (કરૂ) ના મઝાર મુબારક આવેલા છે. ગઇકાલે ગુરૂવારે હારિજના જસવંતપુરા ખાતે ડો. સૈયદના સાહેબએ એક મસ્જિદનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આજે અમદાવાદ મહાન ઓલિયાની તૂરબત મુબારક પર માથુ ટેકવવા આવી રહ્યા હોવાથી ત્યાં મોટી સંખ્યામાં વ્હોરા પુરૂષો સ્ત્રીઓ અને બાળકો દીદાર અર્થે આવશે.

(11:27 am IST)