Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાજપીપળા લીલોડિયા ફળીયામાં પાણીના બોરનું કુવારીકાઓના હાથે ખાતમુહૂર્ત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી જેમાં પાલિકાના યુવા પ્રમુખ ફૂલદીપસિંહ ગોહિલ એ ચાર્જ લેતા જ પાણી સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપી કામગીરી હાથ પર લીધી હતી,જેમાં ઘણા વર્ષોથી લીલોડિયા ફળીયામાં પીવાના પાણીની તકલીફ બાબતે સ્થાનિક કોર્પોરેટરો સાથે મળીને ચાર લાખથી વધુના ખર્ચે પાણીનો નવો બોર મંજુર થયો જેનું આજે સ્થાનિક કુવારીકાઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ટૂંક સમયમાં આ બોર ચાલુ થતા લોકોની પાણીની સમસ્યા દૂર થશે,ખાતમુહૂર્ત સમયે સ્થાનિકો આગેવાનોમાં જનકભાઈ મોદી, શંકરભાઇ પટેલ સાહિતનાઓએ પાલીકા પ્રમુખ અને સદસ્યોનો આભાર માન્યો હતો.

(12:18 pm IST)