Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કેવડીયા કોલોનીમાં ૩ કેસ સાથે નર્મદા જિલ્લામાં ૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: જિલ્લાનો કુલ આંક ૧૦૯૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લામાં ગુરુવારે નવા ૮ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં નાંદોદ ના વડીયા-૦૧ જીતનગર-૦૧, સિસોદ્રા-૦૧, ગરુડેશ્વરના કેવડિયા કોલોની -૦૩,ગોરા-૦૧,તિલકવાડા-૦૧ મળી નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દીની કુલ સંખ્યા-૦૩ છે, જ્યારે ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૧૮ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૨૫ દર્દી દાખલ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૩૭ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૦૯૫ પર પહોચ્યો છે.આજે વધુ ૩૫૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:42 pm IST)