Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દાંતા તાલુકાના ખાઈવાડ ગામ નજીક ધર્મના માનેલ ભાઈએ ત્રણ શખ્સો સાથે મળી બહેન સાથે દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

બનાસકાંઠા:જિલ્લાના દાંતા તાલુકાના ખાઈવાડ ગામની એક સગીરા ખેતીના કામ અર્થે ડીસાના વડાવળ ગામે રહેતા પોતાના મામાના ઘરે ગઈ હતી. આ સમયે સગીરાએ ધર્મનો બનાવેલો ભાઈ સહીત ત્રણ શખ્સોએ આવી સગીરાને તેની મા બીમાર થઈ હોવાનું કહી ઇકો કારમાં અપહરણ કરી અંબાજી, ઇડર તેમજ ગાંધીનગર લઈ જઈ એક માસથી વધુ સમય ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ ગુજારતા સગીરાએ  પોતાના ધર્મના ભાઈ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખાઈવાડ ગામે રહેતી એક સગીરાએ ગામના જશવંતભાઈ જગાજી ઠાકોર નામના યુવકને પોતાના ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી પણ બાંધી હતી આ સગીરા તેના મામાના ઘરે દિશાના વડાવળ ગામે ખેતીના કામ અર્થે ગઈ હતી તે સમયે ૨૧ ફેબ્રુઆરીએ જશવંત સહિત ત્રણ શખ્સો સગીરાના મામાના ઘરે પહોંચી ગયા અને સગીરાને તેની માતા બીમાર હોવાનું કહી તેની માતા પાસે લઈ જવાનું કહી સગીરાને બળજબરીપૂર્વક એક ખાનગી કારમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ આ સગીરાને વડાવળથી અંબાજી ખાતે લઇ ગયા. અંબાજીના એક ગેસ્ટ હાઉસમાં સગીરાએ બનાવેલો ધર્મનોભાઈ જશવંતે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મી બનેલ ધર્મના ભાઈ જસવંતે પોતાના મામાનો સહારો લઇ સગીરાને ઈડર અને તે બાદ ગાંધીનગર લઇ ગયો અને ગાંધીનગર અક્ષરધામ નજીક એક ભાડાના રૂમમાં સગીરાને ગોંધી રાખી અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ ગુજારતો હતો. એક માસ બાદ સગીરાએ જશવંતની જાળમાંથી છુટકારો મેળવી ભીલડી પોલીસ મથકે  તેની સાથે દુષ્કર્મ ગુજારનાર જશવંત જગાજી ઠાકોર, દલપત દાદાજી ઠાકોર અને રણજીત વીરાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:07 pm IST)