Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

રાજપીપળા દરબાર રોડ સ્થિત પંચમુખી મહાદેવ મંદિરે યોજાયેલા હોમાત્મક લઘુરુદ્ર માં ભક્તો જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા દરબાર રોડ પારેખ ખડકી માં આવેલા પંચમુખી મહાદેવ મંદિરમાં રવિવારને શ્રાવણ સુદ ત્રીજેનાં દિવસે હોમાત્મક લઘુરુદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના ભાવિક ભકતો એ ભાગ લીધો હતો .

સવારે 8 વાગે શરૂ થયેલા લઘુરુદ્ર માં સાંજે શ્રીફળ હોમાયા બાદ દશા ખડયતાની વાડી માં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

(11:01 pm IST)