Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મહિસાગરના અલદરીના ધોધમાં અમદાવાદના 2 યુવાન ડૂબ્યા : ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી

ફાયર સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે : રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

મહીસાગર તા.14 : મહિસાગર જિલ્લાના ખાનપુરનાં વાવકુવા ગામમાં આવેલ અલદરીનાં ધોધમાં 2 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જે અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદથી ફરવા આવેલ 2 યુવાનો તણાયા છે. ત્યારે બનવાની જાણ થતાં ગામના સ્થાનિક તરવૈયા દ્વારા યુવાનોની શોધ શરૂ કરાઇ છે.

આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મહિસાગરના ખાનપુર તાલુકામાં દુર્ઘટના ઘટના સામે આવી છે. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર અમદાવાદથી પણ કેટલાંક લોકો મહિસાગર જિલ્લાના ખાનપુર વિસ્તારમાં આવેલા અલદરીના ધોધ ખાતે ફરવા ગયા હતા.આ દરમિયાન બે યુવકો આ ધોધના પ્રવાહમાં ન્હાવા પડ્યા હતા. જે કોઈ કારણોસર ધોધના જળ પ્રવાહમાં તણાયા હતા અને ડૂબ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બે યુવકો ડૂબ્યા હોવાની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને આ મામલે પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ગુમ યુવાનોની શોધખોળ હાથ ધરી છે.

મહત્વનું છે કે ખાનપુર તાલુકામાં આવેલા અલદરીના ધોધ આ વિસ્તારમાં વિખ્યાત હોવાથી મોટાભાગે સહેલાણીઓ ન્હાવાની અને નજારો જોવાની મજા માણવા આવી રહ્યા છે. તેમાં પણ હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે રવિવાર હોવાથી અહીં સહેલાણીઓની પણ ભીડ જોવા મળી હતી. તેવામાં આજે દુર્ઘટના સર્જાતાં ઉહાપોહ મચી ગયો છે.

(10:13 pm IST)