Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ આપશે:વિવિધ ચેનલ્સ પરથી આ સંદેશ પ્રસારિત કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ આપશે આ પ્રજાજોગ સંદેશનું વિવિધ પ્રસાર માધ્યમો પરથી પ્રસારણ થશે.

 મુખ્યમંત્રીનો આ પ્રજાજોગ સંદેશ  આજે તારીખ ૧૪ ઓગષ્ટ ના રોજ આકાશવાણી પરથી સાંજે ૯:૦૦ વાગ્યે, GSTV NEWS ચેનલ પર સાંજે ૬:૦૦ વાગ્યે, સંદેશ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૧૫ વાગ્યે, વી.આર. લાઈવ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૦૦ વાગ્યે, મંતવ્ય ન્યુઝ ચેનલ પર સાંજે ૫.૪૫ વાગ્યે, ઝિ-૨૪ કલાક ન્યુઝ ચેનલ પર સાંજે ૫.૩૦ વાગ્યે, વી.ટી.વી. ન્યુઝ ચેનલ પર સાંજે ૫.૦૦ વાગ્યે, નિર્માણ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૧૨ વાગ્યે, ગુજરાત ન્યુઝ ચેનલ પર રાત્રે ૮.૧૨ વાગ્યે, ઇંડિયા ન્યુઝ ગુજરાત ચેનલ પર સાંજે ૫.૩૦ વાગ્યે પ્રસારિત થશે.

આ ઉપરાંત,  ટી.વી. નાઇન ગુજરાતી ન્યુઝ ચેનલ પર સાંજે ૫.૦૦વાગ્યે, કલર્સ ગુજરાતી ટી.વી. ચેનલ પર સાંજે  ૫:૧૫ વાગ્યે અને ઇન-કેબલ ટી.વી. ચેનલ ઉપર રાત્રે ૮.૩૦ વાગ્યે પણ મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ પ્રસારિત થશે.
મુખ્યમંત્રીશ્રીના આ સંદેશનું પ્રસારણ દૂર દર્શન કેન્દ્ર અમદાવાદ પરથી આવતી કાલે ૧૫ ઓગષ્ટ ના સવારે ૯ વાગ્યે થવાનું છે

(5:26 pm IST)