Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આઇઓસી દ્વારા નવા પ્રોજેકટ અર્થે મહેસુલ મંત્રી સાથે મીટીંગ

રાજકોટઃ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન પશ્ચિમી વિભાગ પાઇપ લાઇન્સ ગૌરીદડ રાજકોટના એકસીકયુટીવ ડાઇરેકટર શ્રી ચિન્મય ઘોષના વડપણમાં ગુજરાત રાજયના મહેસુલ મંત્રી શ્રી કૌશીકભાઇ પટેલ સાથે આઇઓસીએલના કેપીસીટી વધારવા માટેના નવા પ્રોજેકટ માટે સરકારી જમીન ફાળવણી માટે મીટીંગ થયેલ. આ મીટીંગમાં વાડીનાર આઇઓસીએલના ચીફ જનરલ મેનેજરશ્રી આર.ડી.સભરવાલ અને આઇઓસીએલ પાઇપ લાઇન્સ ગૌરીદડ રાજકોટના સીનીયર મેનેજર અને સક્ષમ અધિકારી ગુજરાત રાજય શ્રી પી.વી.મહેતા હાજર રહેલ મહેસુલ મંત્રી શ્રી કૌશીકભાઇ પટેલે આ અંગે ઘટતુ કરવા નિર્દેશ આપેલ.

(10:34 am IST)