Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વિદ્યાનગરમાં આત્મીય વિદ્યાધામમાં પારિવારીક સભા યોજાઇઃ પૂ. ભક્તિપ્રિય સ્‍વામીની ખાસ ઉપસ્‍થિતિ

આણંદઃ વિદ્યાનગર ખાતે ગુરુ પ્રસાદ સ્વામીજી તથા આનંદ સાગર સ્વામીજીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ અને પ્રદેશના આત્મીય મુક્તો-બહેનો, નગરજનોની હાજરીમાં આત્મીય વિદ્યાધામ પરિસરમાં પારિવારિક સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખાસ કરીને મુંબઈ ક્ષેત્રના સંત ભક્તિપ્રિય સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રસ્તુત સભામાં પૂ. ભક્તિપ્રિય સ્વામીએ જ્યારે આત્મીય વિદ્યાધામમાં યોજાતી પારિવારીક સભા સફળતાપૂર્વક ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારેએ.વી.ડી.ના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. વધુમાં જણાવ્યું કે,જેમ શરીર તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની જરૂર છે તેમ આત્માને સુદૃઢ / સશક્ત બનાવવા માટે સત્સંગ અને ભક્તિ જરૂરી છે.

મુંબઈના દહિસરમાં યુવાનોની ગોવાળી કરતા હર્ષિલભાઈએ તબક્કે જણાવ્યું કે, આજના પ્રપોઝ ડે નિમિત્તે સંતોને પ્રપોઝ કરવાનું કે, રેગ્યુલર સભા ભરવાનું અને દરરોજ ત્રીસ મિનિટ ભજન કરવાનું ચૂકવું નહિ. આજના યુવાનોને સોશ્યલ મીડિયા, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલ, ટીવી અને મૂવીથી દૂર રહેવાનું સૂચન કર્યું હતું. સભાની શરૂઆતમાં ભજન-કીર્તન અને અંતમાં આરતી તેમજ એકાદશી નિમિત્તે ખાસ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થાકરવામાં આવી. સમગ્ર સભાની વીડિયોગ્રાફી / ફોટોગ્રાફી કરવામાં આવી.

(6:11 pm IST)