Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કાલે મોદી - અડવાણી - શાહ - જેટલી વગેરે અમદાવાદમાં કરશે મતદાન

મોદી રાણીપમાં તો અડવાણી શાહપુરમાં મતદાન કરશે

નવી દિલ્હી તા. ૧૩ : ૧૪મી ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાનમાં ૯૩ બેઠકો પર ૮૫૧ ઉમેદવારો અંગે મતદાન થવાનું છે ત્યારે મુખ્ય પ્રતિદ્વંદ્વી તરીકે ભાજપ- કોંગ્રેસ વચ્ચે રસાકસી ભરી ચૂંટણી ખેલાવા જઈ રહી છે. ૧૪ ડિસેમ્બરે મતદાન માટે વીવીઆઈપી પણ પોતાના વિસ્તારમાંથી મતદાન કરશે. પીએમ મોદી રાણીપ ખાતે મતદાન કરશે. જયારે એલ કે અડવાણી શાહપુરથી મતદાન કરશે. તો અરુણ જેટલી ચીમનભાઈ ઈન્સ્ટીટ્યૂટ ખાતે મતદાન કરશે.

આવતીકાલે ૧૪મી ડિસેમ્બરે મતદાન માટે ગુજરાતમાં વીવીઆઈપીના ધાડા ઉતરી આવશે. પીએમ મોદી રાણીપ ખાતે મતદાન કરશે. પીએમ મોદી નિશાન વિઘાલય ખાતે મતદાન કરશે.  આ ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલી પણ મતદાન કરવા માટે ગુજરાતમાં આવશે.  તેઓ ચીમનભાઈ ઈન્સ્ટીટ્યૂટ ખાતે મતદાન કરશે. આ ઉપરાંત એલ કે અડવાણી શાહપુરથી મતદાન કરશે. અમિત શાહ નારણપુરા ખાતે મતદાન કરશે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી બોરસદ ખાતે મતદાન કરશે. ભરતસિંહ સવારે ૧૦ કલાકે દેદરડા પ્રા. શાળામાં મતદાન કરશે. મોહનસિંહ રાઠવા સવારે ૯ કલાકે મુ.બાર પ્રા.શાળામાં મતદાન કરશે. સિધ્ધાર્થ પટેલ સવારે ૯ કલાકે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે મતદાન કરશે. શકિતસિંહ ગોહીલ સવારે ૧૧ કલાકે ગાંધીનગર ખાતે મતદાન કરશે. નારણ રાઠવા સવારે ૯ કલાકે છોટાઉદેપુર કન્યાશાળામાં મતદાન કરશે.

(11:56 am IST)