Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદના શિશુગૃહમાં ૩ મહિનાથી લઈને સાડા ત્રણ વર્ષના છ બાળકો કોરોના સંક્રમિત

અમદાવાદ,તા. ૧૩: પાલડી વિસ્તારમાં આવેલા શિશુગૃહમાં છ બાળકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

બાળકો સહિત સ્ટાફના અન્ય ચાર લોકો પણ કોરોના સંક્રમિત છે. શિશુગૃહમાં કેસ આવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શિશુગૃહને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મૂકી દીધું છે.

અહેવાલ મુજબ ચેપ લાગેલાં બાળકોમાં સૌથી નાની ઉંમરનું ત્રણ મહિનાનું બાળક છે અને સૌથી મોટા સાડા ત્રણ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર કહે છે કે બધાં બાળકોને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે અને હાલમાં તેમની તબિયત સ્થિર જણાવાઈ રહી છે.

(12:36 pm IST)