Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

અમદાવાદ સહીત નગરોમાં થાક ખાતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 565 નવા કેસ નોંધાયા:વધુ 891 દર્દીઓ સાજા થયા:આજે ત્રણ દર્દીઓના મૃત્યુ થયા : કુલ મૃત્યુઆંક 10,986 થયો : કુલ 12.49.659 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2,89,546 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 4205 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 565 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 891 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.49,659  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મૃત્યુ થયા  છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.986 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.80 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 2.00.592 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11. 98,76,902  લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 4205 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4187 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 565 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 191 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં 58 કેસ અને એકનું મોત થયું છે. વડોદરા કોર્પોરેશન 40, સુરત કોર્પોરેશન 29, ગાંધીનગર 27, કચ્છ 25, વલસાડ 22, સુરત 18, રાજકોટ 15, પાટણ 14, વડોદરા 14, મહેસાણા 13, નવસારી 12, બનાસકાંઠા 11 એમ કુલ 565 કેસ નોંધાયા છે.

(9:01 pm IST)