Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

શ્રી ઝીંઝુવાડા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી આર્ટ્સ કોલેજ ઝીંઝુવાડા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત શ્રી ઝીંઝુવાડા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી આર્ટ્સ કોલેજ ઝીંઝુવાડા દ્વારા ઝીંઝુવાડા ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ગામના લોકો તથા ઝીંઝુવાડા કેળવણી મંડળના પ્રમુખ તથા જિલ્લા કારોબારીના ચેરમેન ઉદયસિંહ લાલભા પણ જોડાયા હતા .

(6:58 pm IST)