Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વિરમગામ વાલ્મિકી સમાજ દ્વારા શ્રી ગુરુ ગાદીઓ શ્રીમાનદાસ પીર બાપાનો પાટોત્સવ યોજાયો

---સંતોના સામૈયા, ધર્મ ધજા રોપણ, સત્કાર સમારંભ, સંતવાણી ભજન, મહા આરતી પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા શ્રી ગુરુ ગાદીઓ શ્રીમાનદાસ પીર બાપાનો પાટોત્સવ યોજાયો હતો. જેમાં‌ સંતોના સામૈયા, ધર્મ ધજા રોપણ, સત્કાર સમારંભ, સંતવાણી ભજન, મહા આરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વિરમગામ ઠક્કરબાપા કોલોની ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બળદેવભાઈ, પરસોતમભાઈ સહિત સમસ્ત વસ્તીપંચે જહેમત ઉઠાવી હતી.

(6:56 pm IST)