Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

શ્રી અંબે માતાજી મંદિર અવધ સીટી વિરમગામ ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞાનો પ્રારંભ

પ્રથમ દિવસે શોભાયાત્રા, ગ્રહ હોમ, કુટીર કર્મ, પૂજા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ શહેરના અવધ સીટી ખાતે આવેલ શ્રી અંબે માતાજી નવનિર્મિત મંદિર ખાતે મા ની નવીન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે શોભાયાત્રા, દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ, યજ્ઞ પ્રારંભ, મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ, કુટીર કર્મ, પૂજા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અવધ સિટીના રહીશો ઉપરાંત નિમંત્રિત મહેમાનો દ્વારા ઉપસ્થિત રહી દર્શન, પ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવની ૧૪ ઓગસ્ટના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે.

(6:55 pm IST)