Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સરકારની ગાઈડલાઈનના પાલન સાથે રાજપીપળામાં 29 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે શહેરમાં ફરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના રાધા કૃષ્ણ મંદિરે થી સોમવારે સવારે 9 વાગે નીકળેલી 29 મી રથયાત્રાનું સરકારી ગાઈડલાઈનના પાલન સાથે પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, રાજપીપળા નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનો તેમજ રથયાત્રાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા,રથયાત્રામાં જિલ્લા નાયબ પોલીસ વડા રાજેશ પરમાર સહિત પોલીસ કાફલો ખડે પગે રહ્યો હતો આ વર્ષે સરકારની ગાઈડલાઈન લાગુ હોવાથી દર વર્ષની માફક મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું ન હતું.

(12:21 am IST)