Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અમદાવાદમાં વકરતો કોરોના :રાજ્યના છેલ્લા 24 કલાકમાં 140 નવા કેસ નોંધાયા:વધુ 66 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,945: કુલ 12,14.529 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 6679 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 778 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 140 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 66 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.14.529 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.945 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.05 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 6679  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.05.18.230 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 778 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી અને અને 778 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 140 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 79 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 21 કેસ, સુરત કોર્પોરેશનમાં 11 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, મહેસાણામાં 4 કેસ, કચ્છ,રાજકોટ કોર્પોરેશન,અને સાબરકાંઠામાં 3-3 કેસ,અમદાવાદ ,ભાવનગર કોર્પોરેશન, ગીર સોમનાથ અને સુરતમાં 2-2 કેસ, ગાંધીનગર કોર્પોરેશન,ખેડા,અને પાટણમાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:31 pm IST)