Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સોજીત્રામાં ઓચિંતા આવીને ભેંસોને મારવા લાગતા થયેલ ઝઘડામાં ટ્રોલીમાં રાખેલા ડાંગરના પુળીયા સળગાવ્યા

વણકરવાસમાં પ્રવીણભાઈ મકવાણાના તબેલામાં રાજુભાઈ અને અરુણભાઈએ રાત્રીના ધમાલ મચાવી

સોજીત્રા વણકરવાસમાં બે ભાઈઓએ તબેલામાં બાંધેલી ભેંસોને માર મારીને ટ્રોલીમાં મુકેલા ડાંગરના પુળીયા સળગાવી દેતા સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

  જાણવા મળતી વિગત મુજબ સોજીત્રાના વણકરવાસમાં રહેતા પ્રવિણભાઈ જશભાઈ મકવાણાનો ઘર નજીક તબેલો આવેલો છે જેમાં ગઈ રાત્રીના નવેક વાગ્યાના સુમારે રાજુભાઈ ખેમજીભાઈ મકવાણા તથા અરૂણભાઈ ખેમજીભાઈ મકવાણા આવી ચઢ્યા હતા અને ભેંસોને માર મારવા લાગતા પ્રવિણભાઈ ત્યાં પહોચી અટકાવતા જેમની સાથે પણ ઝઘડો કરીને ટ્રોલીમાં મુકેલા ડાંગરના પુળીયામાં આગ લગાડી દીધી હતી જેમાં  હજારની કિંમતના ડાંગરના પુળીયા સળગી ગયા હતા. 

(8:39 pm IST)