Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

વડોદરા : શાળા સંચાલકોએ કરેલ ૧૦ કરોડનો માનહાનિનો દાવો રદ કરવા વાલીઓની અરજી

વડોદરા, તા. ૧૩ : તેજસ વિદ્યાલયના સંચાલકો અને વાલીઓ વચ્ચેના વિવાદના કારણે શાળા સંચાલકો દ્વારા ૧૪ વાલી રૂપેશ પટેલ, દેવીબેન શાહ, હર્ષરાજ રાઠોડ, વૈશાલીબેન પટેલ, અજય શર્મા, ગૌરાંગ મકવાણા, સંજીવ સોલંકી, જતીન પટેલ, ઘનશ્યામ ઠક્કર, મયંક ઠક્કર, સપન પટેલ, સોનલબેન સોલંકી, સંજયકુમાર સિદ્ઘાર્થ અને તપન પટેલ સામે કોર્ટમાં ૧૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કરાયો હતો.દિવાની કોર્ટમાં દાખલ કરેલો ૧૦ કરોડનો માનહાનિનો દાવો રદ કરવા માટે વાલીઓ તરફથી સુનાવણી વખતે સીઆરપીસીના રૂલ ૭-૧૧ મુજબની અરજી આપી હતી. દાવો રદ કરવો કે પછી આગળ મુકદમો ચલાવવો તે અંગેની વધુ સુનાવણી તા.૨૬ ફેબ્રુઆરીએ હાથ ધરાશે.આ દાવાની દિવાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે વાલીઓએ તેમનાં વકીલ મારફતે કાયદામાં દર્શાવાયેલી જોગવાઈ મુજબ આ દાવો રદ કરવા અરજી આપી હતી દાવો રદ કરવા માટે વાલીઓ તરફથી થયેલી અરજીની સુનાવણી તા.૨૬ ફેબ્રુઆરી ઉપર મુલતવી રાખવામાં આવી છે.

(11:41 am IST)