Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ડેનમાર્કના વડાપ્રધાનશ્રીને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે તેમણે નવી દિલ્હીના ગરવી ગુજરાત ભવનમાં ડેન્માર્કના પ્રધાનમંત્રી શ્રીમતી મેટ્ટે ફ્રેડ્રીક્સન સાથે ઔપચારિક બેઠક કરી હતી.  તેમને કુદરતી ખેતી વિશે માહિતી આપી અને તેમને પ્રાકૃતિક ખેતી જન અભિયાનથી વાકેફ કર્યા. ડેન્માર્કના પ્રધાનમંત્રીશ્રીએ પણ ગુજરાતના વિકાસ અને સાંસ્કૃતિક વિવિધતાના વખાણ કર્યા હતા. 

(5:20 pm IST)