Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

શ્લોકગાન ધાર્મિક પરીક્ષામાં પ્રથમ આવનાર એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના

ઋષિકુમારોને સંતો દ્વારા પ્રોત્સાહિત કરાયા

અમદાવાદ તા. 12 એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ધો.8 થી માંડીને ધોરણ 10 માં નૂતન  પ્રવેશ પામેલ ઋષિકુમારોને દરરોજ સાંધ્ય પ્રાર્થના સભામાં બોલાતા શ્લોકો અને કિર્તનોની સત્રાન્તે ધાર્મિક પરીક્ષા લેવામાં આવે છે.

ચાલુ સાલે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, યજ્ઞવલ્લભદાસજી સ્વામી અને ઉદય ભગતના માર્ગદર્શન સાથે નૂતન પ્રવેશ પામેલ ઋષિકુમારોની શ્લોકગાન- ધાર્મિક પરીક્ષામાં,

પ્રથમ વિભાગ ધો.8 1. રાવલ હેત 2, ત્રિવેદી વેદાન્ત,  3. ઠાકર આદર્શ

દ્વિતીય વિભાગ ધો.9 1. ત્રિવેદી પાર્થ 2. જાની શિવ  3. આચાર્ય નિષિત

તૃતીય વિભાગ ધો.10 1.ચાઉં માધવ 2. જોષી પ્રિન્સ 3. ભટ્ટ ફેનિલ વિજેતા  ઋષિકુમારોને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

(12:47 pm IST)