Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજપીપળા શહેર BJP મંત્રીનાં નિવાસ્થાને તિરંગો લહેરાયો

ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલમાં દેશભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને સ્વાતંત્ર્ય પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોય ઉપરાંત હર ઘર તિરંગ અભિયાનમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પ્રાધાન્ય આપી "હર ઘર તિરંગા" અભિયાનને લોકોએ જન અભિયાન બનાવ્યું છે,દરેક વ્યક્તિઓ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે."આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા શહેર બીજેપીના મંત્રી વિપુલભાઈ માછી ના નિવાસ્થાને બીજેપી કાર્યકર્તાઓ યાત્રામાં ભાગ લઈ તિરંગો લગાવ્યો હતો.

(10:45 pm IST)