Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વિરમગામ તાલુકાના રામ છાપરી ચાર રસ્તાથી કુમારખાણ સુધી અભૂતપૂર્વ તિરંગા યાત્રા યોજાઈ

આજની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનોએ યુવા શક્તિને ઉજાગર કરી છે : હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આઝાદી કા અમૃત મહોત્સવ - હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિરમગામ તાલુકાના રામ છાપરી ચાર રસ્તાથી કુમારખાણ સુધી અભૂતપૂર્વ તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
 ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ‌આજે વિરમગામ તાલુકાના રામ છાપરી ચાર રસ્તાથી કુમારખાણ ગામ સુધી ઐતિહાસિક અને અભૂતપૂર્વ તિરંગા યાત્રાનું સફળ સમાપન થયું. આઝાદીના અમૃત મહોત્સવ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને દેશવાસીઓ ગૌરવભેર ઉજવી રહ્યા છે. આજની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનોએ યુવા શક્તિને ઉજાગર કરી છે

(8:18 pm IST)