Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રાજપીપળા ચોર્યાસીની વાડીમાં બ્રમ્હ સમાજના બ્રાહ્મણો એ યજ્ઞોપવિત (જનોઈ) બદલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળામાં ચોર્યાસીની વાડી સહિત અનેક જગ્યાઓ પર શહેરના બ્રાહ્મણોએ યજ્ઞોપવિત(જનોઈ બદલવા) નો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારબાદ બ્રમ્હ ભોજન કર્યું હતું , દર વર્ષે બળેવના દિવસે રખાતો આ કાર્યક્રમ ગુરુવારે રક્ષાબંધન હોય દર વર્ષની જેમ આ દિવસે રાખવામાં આવ્યો જેમાં બ્રમ્હ સમાજના કલ્પેશ પંડ્યા,નયનભાઈ પુરોહિત, કેતનભાઈ પાઠક, ઘનશ્યામભાઈ વ્યાસ સહિતના બ્રમ્હ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ સમાજ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.

(12:09 am IST)