Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સરકારી તાલુકા પુસ્તકાલય વિરમગામ ખાતે પુસ્તક પ્રદર્શન યોજાયું

આઝાદીના અમૃત મહોત્સવ તથા ગ્રંથપાલ દિન નિમિત્તે પુસ્તક પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું

dir="auto">
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  સરકારી તાલુકા પુસ્તકાલય વિરમગામ અને રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગ્રંથાલય ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે  આઝાદીના અમૃત મહોત્સવ, ગ્રંથપાલ દીન તથા ડૉ.એસ.આર.રંગનાથન  જન્મજયંતી નિમિતે સ્પર્ધાત્મક તથા રાષ્ટ્રીય નેતાના તેમજ જુદા જુદા સાહિત્યકારોના પુસ્તકોનું સરકારી તાલુકા પુસ્તકાલય વિરમગામ ખાતે પુસ્તક પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી દિવ્યજ્યોત હાઇસ્કૂલના આચાર્ય નવદીપભાઈ ડોડીયા, મદદનીશ ગ્રંથપાલ ભાનુપ્રસાદ પરમાર, મનુભાઇ પરમાર, આનંદ મંદિર સ્કુલના ચન્દ્રિકાબેન શ્રીમાળી સહીત  સંસ્થાના  આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીઓ, પુસ્તકાલયના નિયમીત વાચકો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
(7:11 pm IST)