Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાલે નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટર્સ સમિટ યોજાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રિય માર્ગ- પરિવહન મંત્રી નીતિન ગડકરીજી મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ખાસ ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૧૨, : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવતીકાલે તા. ૧૩ ઓગસ્ટના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત ઇન્વેસ્ટર્સ સમિટ યોજાશે. 

સવારે ૧૧.૦૦ કલાકે યોજાનાર ઇન્વેસ્ટર્સ સમિટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રિય માર્ગ- પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીજી સહિત ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ખાસ ઉપસ્થિત રહેશે

(12:33 pm IST)