Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કાલે ગાંધીનગરથી વિજયભાઈ રૂપાણીના હસ્તે નવસારી શહેરી બસ સેવાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

રાજકોટ તા.૧૨, : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતીકાલે તા. ૧૩ ઓગસ્ટના રોજ નવસારી- વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મુખ્યમંત્રી શહેરી બસ સેવાનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરવામાં આવનાર છે. 

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સવારે ૧૦.૦૦ કલાકે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી યોજાનાર કાર્યક્રમમાં નવસારીથી અતિથિ વિશેષ તરીકે સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ તેમજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્યશ્રી આર. સી. પટેલ, નવસારીના ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ સહિત નવસારી- વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ- નાગરિકો  ઉપસ્થિત રહેશે. 

(12:29 pm IST)