Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમદાવાદમાં પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

વરસાદી માહોલ વચ્ચે સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત

અમદાવાદ :  આજે વરસાદી માહોલ વચ્ચે સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા

ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાના પ્રારંભ પ્રસંગે ભગવાન આશિર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા પ્રકારના ભગવાન પાસે આશિર્વાદ માંગીએ. આજે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તેઓને પણ શુભકામના પાઠવી હતી.

(10:11 am IST)