Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા : શહેરમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

ભાવિક ભક્તોએ માત્ર ઓનલાઈન અથવા ટીવીના માધ્યમથી જ દર્શન કરવાના રહેશે.

અમદાવાદ :કોરોના વાયરસ પ્રોટોકોલ અનુસાર આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરોઢિયે ચાર વાગ્યે ગૃહમંત્રી અમિતભાઈ  શાહે મંગળા આરતી કરી હતી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યોછે. રથયાત્રામાં સરકાર દ્વારા માત્ર પાંચ જ વાહનોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભાવિક ભક્તોએ માત્ર ઓનલાઈન અથવા ટીવીના માધ્યમથી જ દર્શન કરવાના રહેશે. કોરોના વાયરસના કારણે આ વખતે પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે.

(10:10 am IST)