Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : અમદાવાદ-સુરતમાં રાફડો ફાટ્યો : નવા રેકોર્ડબ્રેક 6021 પોઝિટિવ કેસ : વધુ 2854 દર્દીઓ સ્વસ્થ થયા : 55 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 4855 થયો : કુલ 3,17,981 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 2,26,326 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે અમદાવાદમાં 1933 કેસ, સુરતમાં 1469 કેસ, રાજકોટમાં 576 કેસ, વડોદરામાં 381 કેસ, જામનગરમાં 296 કેસ, મહેસાણામાં 136 કેસ, ભાવનગરમાં 110 કેસ, ગાંધીનગરમાં 106 કેસ, પાટણમાં 97 કેસ, બનાસકાંઠામાં 94 કેસ, જૂનાગઢમાં 87 કેસ, નર્મદામાં 61 કેસ, ભરૂચમાં 54 કેસ, કચ્છમાં 50 કેસ, ખેડામાં 49 કેસ, અમરેલી, મોરબી અને નવસારીમાં 48-48 કેસ, દાહોદમાં 45 કેસ, મહીસાગરમાં 43 કેસ, પંચમહાલમાં 37 કેસ, આણંદમાં 33 કેસ, બોટાદમાં 31 કેસ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 29-29 કેસ, સાબરકાંઠામાં 24 કેસ નોંધાયા : હાલમાં 30680 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 4000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 5 હજારને પાર પહોંચી હતી  સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં 6021 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 2854  દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 6021 કેસ નોંધાયા છે જયારે વધુ 2854 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,17,981 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી  55 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 4855 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 89,55 ટકા  થયો છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 20, સુરત કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 7,રાજકોટ કોર્પોરેશનમાં 4, ભરૂચમાં 1, બોટાદમાં 1, સાબરકાંઠામાં 1, અને સુરતમાં 1 મળીને કુલ 55  દર્દીઓના  મોત નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 થયો છે  

    રાજ્યમાં હાલ  30,680 એક્ટિવ  કેસ છે, જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30,464 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,17,981 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 82,37,367 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 11,12,678 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 93,50,045 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે  1,73,196 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 42,558 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 6021 કેસમાં અમદાવાદમાં 1933 કેસ,સુરતમાં 1469  કેસ, રાજકોટમાં 576કેસ ,વડોદરામાં 381 કેસ, જામનગરમાં 296 કેસ, મહેસાણામાં 136 કેસ, ભાવનગરમાં 110 કેસ, ગાંધીનગરમાં 106 કેસ, પાટણમાં 97 કેસ, બનાસકાંઠામાં 94 કેસ, જૂનાગઢમાં 87 કેસ, નર્મદામાં 61 કેસ,ભરૂચમાં 54 કેસ, કચ્છમાં 50 કેસ,ખેડામાં 49 કેસ, અમરેલી, મોરબી અને નવસારીમાં 48-48 કેસ, દાહોદમાં 45 કેસ, મહીસાગરમાં 43 કેસ, પંચમહાલમાં 37 કેસ, આણંદમાં 33 કેસ, બોટાદમાં 31 કેસ,સુરેન્દ્રનગર અને વલસાડમાં 29-29 કેસ, સાબરકાંઠામાં 24 કેસ નોંધાયા છે

(8:32 pm IST)