Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વિદ્યાનગરમાં બંધ મકાનમાંથી તસ્કરોએ 1.45 લાખની મતાની ઉઠાંતરી કરી

આણંદ:જિલ્લાના વિદ્યાનગરમાં આવેલ એક મકાનમાં ચોરીને અંજામ અપાયો હતો. અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાના તાળા તોડી તેમાં પ્રવેશ કર્યો હતો. આ મકાનમાં તિજોરીમાં મુકેલ સોનાચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૧,૪૫,૦૦૦/-ની ચોરીને અંજામ અપાયો હતો. આ ઘટનામાં વિદ્યનગર પોલીસ મથકે ચોરીનો ગુુનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વિદ્યાનગર-કસમસદ રોડ પર આવેલ એક મકાનને અજાણ્યા તસ્કરોએ ગઈ તા. ૧ થી ૨જીની રાત્રી દરમ્યાન ટાર્ગેટ બનાવ્યું હતું. આ મકાનના દરવાજાનું તાળું તોડી તેમાં પ્રવેશ કરાયો હતો. મકાનમાં મુકેલ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી અંદાજીત ૧,૪૫,૦૦૦/-ના દાગીનાની ચોરીને અંજામ અપાયો હતો. આ ઘટનાની જાણ મહેશભાઈ રાવજીભાઈ પટેલને થતા તેઓએ બનાવની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઈ હતી.જ્યારે પોલીસે અગાઉ ચોરીઓમાં ઝડપાયેલ શકમંદ ઈસમોની પુછપરછના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી ટેલિફોનીક સંપર્ક દરમ્યાન જણાવી હતી.

(5:31 pm IST)