Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

બાલવા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

કલોલ:ગાંધીનગર - માણસા હાઇવે રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું કરૃણ મોત નીપજ્યું હતું. કલોલ તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ માટે દોડધામ શરૃ કરી છે. વિજાપુર તાલુકાના આનંદપુરામાં રહેતો દિપકગીરી ભીખાગીરીબાવા (ઉ.વ.૨૭) ૯ જાન્યુઆરીની સાંજે બાઇક લઇને અમદાવાદ ખાતે જઇ રહ્યો હતો. તે વખતે રસ્તામાં અકસ્માતમાં તેનું કરૃણ મોત નીપજ્યું હતું. ગાંધીનગર-માણસા હાઇવે રોડ પર બાલવા ગામ નજીક અજાણ્યા વાહનચાલકે દિપકગીરીને ગમખ્વાર ટક્કર મારી હતી. શરીરે ગંભીર પ્રમાણમાં ઇજાઓ થઇ હોવાથી દિપકગીરીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ અકસ્માત સર્જનાર વાહન ચાલક પોતાનું વાહન લઇને ભાગી છુટયો હતો. મૃતકના પિતરાઇભાઇ મનુગીરી ગોવિંદગીરીબાળાની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ માટે વધુ તપાસ શરૃ કરી છે. કલોલ તાલુકા પોલીસે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તેનો કબ્જો વાલી વારસોને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કલોલના ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયુંછે. પૂરઝડપે હંકારતા વાહનચાલકો નિર્દોષ રાહદારીઓ અને નિર્દોષ વાહનચાલકોનો ભોગ લઇ રહ્યાં છે. જેથી અકસ્માતોના બનાવો નિવારવા માટે તંત્ર દ્વારા પગલા લેવાય તે જરૃરી છે. ગ્રામ્ય વિસ્તારોના આંતરીક માર્ગો ઉપર પણ અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે.

 

(5:01 pm IST)