Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

દિવ્યાંગ દિકરીઓ મંત્રીશ્રીઓના દ્વારે

૮૦ ફુટ રોડ ઉપર અમુલ સર્કલ પાસે આવેલ એકરંગ માનસિક વિકલાંગ (દિવ્યાંગ) દિકરીઓની નિઃશુલ્ક સંસ્થા દ્વારા ગુજરાત રાજયના માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની ફરી એકવાર ગુજરાત રાજયના શિક્ષણની જવાબદારી સોંપવા બદલ તેમજ માનનીય સમાજ કલ્યાણ મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના ગુજરાતના સમાજ કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપવા બદલ ગાંધીનગરના સ્વર્ણીમ સંકુલ ખાતે બંને મંત્રીશ્રીઓના કાર્યાલયમાં સંસ્થાની દિવ્યાંગ દિકરીઓ દ્વારા શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા તથા શ્રી ઇશ્વરભાઇ પરમારના પુષ્પગુચ્છ તથા મીઠાઇ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સંસ્થાના પ્રતિનિધિ તરીકે શ્રીમતી દિપીકાબેન તથા કમલેશભાઇ પ્રજાપતિ સાથે રહ્યા હતા. શિક્ષણમંત્રીશ્રીએ દિવ્યાંગ દિકરીઓને સરસ્વતી માતાની મુર્તિ ભેટ આપી હતી. જયારે સમાજ કલ્યાણ મંત્રીશ્રીએ આવી દિવ્યાંગ દિકરીઓને વ્હાલથી આવકારી મીઠાઇ આપીને મોઢુ મીઠુ કરાવ્યુ હતુ.

(3:54 pm IST)