Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મુંબઈના ઉદ્યોગપતિનો વડોદરાની હોટેલમાં આપઘાત

ઉદ્યોગપતિ જતીન બીજલભાઈ ગોહિલ છેલ્લા બે-ત્રણ દિવસથી વડોદરા આવ્યા હતા:મકરપુરાની હોટલ રોયલ વિંગ્સમાં રોકાયા હતા

વડોદરાઃ મુંબઈ સ્થિત મુલુંદ ખાતેના ભક્તિ ફ્લેટમાં રહેતા 56 વર્ષીય ઉદ્યોગપતિ જતીન બીજલભાઈ ગોહિલ છેલ્લા બે-ત્રણ દિવસથી વડોદરા આવ્યા હતા. તેઓ મકરપુરાની હોટલ રોયલ વિંગ્સમાં રોકાયા હતા. જોકે ગઈકાલે રાત્રે હોટલના સ્ટાફ જ્યારે તેમના રૂમમાં ચેકઆઉટ માટે પહોંચ્યા હતા ત્યારે રૂમ બંધ હતો. દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો હતો. અંદર જઈને જોયું તો ઉદ્યોગપતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આથી હોટલના સ્ટાફે આ મામલે મકરપુરા પોલીસને જાણ કરી હતી. જ્યાં આધેડના રૂમની તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, પોલીસને રૂમમાંથી કોઈ સામાન મળી આવ્યો ન હતો. માત્ર લાલ રંગની ઓઢણી મળી આવી હતી, જેના વડે આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. બનાવને પગલે પોલીસે આધેડના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી પરિવારને સમગ્ર મામલે જાણ કરી હતી.

 

(12:56 am IST)