Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

૬૭ અધિક કલેકટરો એન ૭૯ ડે. કલેકટરોની બદલીઃ હવે ટુંક સમયમાં આઇએએસ કક્ષાની બદલી

રાજકોટ ગ્રામ્‍ય, લીંબડી, હળવદ, ગોંડલ, મેંદરડામાં નવા પ્રાંત અધિકારીની નિમણુંક : સોમનાથના ખાચર રાજકોટ ચુંટણી શાખામાં: જામનગરના એમ.પી.પંડયા કચ્‍છમાં : દ્વારકાના બી.એન.ખેર જામનગરના નવા નિવાસી અધિક કલેકટરઃ રાયજાદા જુનાગઢથી સુરેન્‍દ્રનગર બદલાયા

રાજકોટ તા.૧૧ : રાજય સરકારે ગઇકાલે સાંજે જી.એ.એસ. કેડરના અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢયો છે. જેમાં ૬૭ અધિક કલેકટરો અને ૭૯ નાયબ કલેકટરોનો સમાવેશ થાય છે. હવે ટુંક સમયમાં આઇએએસ કેડરના કલેકટર ડી.ડી.ઓ. વગેરેની બદલી થાય તેવા નિર્દેષ છે.

અધિક કલેકટરોની બદલી

ગિર  સોમનાથ ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એસ.જે. ખાચરને રાજકોટમાં અધિક ચુંટણી અધિકારી તરીકે સુરેન્‍દ્રનગર ડી.આર.ડી.એ.ના ડી.આઇ. ભગલાણીને તે જિલ્લામાં જ આર.એ.સી., જામનગરના આર.એ.સી. એમ.પી. પંડયાને કચ્‍છના આર.એ.સી. તરીકે  મુકવામાં આવ્‍યા છે.   ગાંધીનગર મેડીકલ એજયુકેશનના વહીવટી અધિકારી બી.એમ. જોટાણિયાને દેવભુમી દ્વારકાના આર.એ.સી. પદે દ્વારકા ડી.આર.ડી.એ.ના બી.એન.ખેરને જામનગરમાં આર.એ.સી. તરીકે, રાજકોટ વિભાગીય નગરપાલિકા કમિશ્નર કચેરીના એન.એફ.ચૌધરીને જામનગર ડી.આર.ડી.એ.માં જુનાગઢ પંચાયત તાલીમ કેન્‍દ્રના પી.જે.ઓંધિયાને નર્મદા જિલ્લામાં આદિવાસી પ્રોજેકટના વહીવટદાર તરીકે નિમણુંક અપાયેલ છે.

ડે.કલેકટરોની બદલી

ખેડાના એન.જે. ચુડાસમાને મેંદરડા પ્રાંત, રાજકોટ ગ્રામ્‍યના વિરેન્‍દ્ર દેસાઇને અમરેલી પ્રાંત, રાજકોટ મધ્‍યાહન ભોજનના પી.એમ.મોણપરાને મેડીકલ સર્વિસ કંપની ગાંધીનગર સુરેન્‍દ્રનગરના ડી.એસ.ઓ. બી.જે.ઝાલાને પાટડી પ્રાંત જામનગર સ્‍ટેના ડયુટીના હરદીપ આચાર્યને હળવદ પ્રાંત, જુનાગઢ ચંટણી શાખાના  રીના ચૌધરીને તેજ જિલ્લામાં ડી.એસ.ઓ. તરીકે, જસદણના કે.વી.બાટીને ગોંડલ પ્રાંત, અમરેલીના ડે.ડી.ડી.ઓ. વી.પી. પટણીને તેજ જિલ્લામાં ચુંટણી શાખામાં મુકવામાં આવ્‍યા છે.

(12:15 pm IST)