Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મહેમદાવાદની આસ્થા સોસાયટીમાં પરિણીતાને લગ્ન કરવા બાબતે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ : મહેમદાવાદમાં આસ્થા સોસાયટીમાં રહેતી પરણિતાને મોબાઈલથી લગ્ન કરવા બાબતે ઝઘડો કરી સળગાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સો સામે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહેમદાવાદની આસ્થા સોસાયટીમાં રહેતી ભાવનાબેન લલિતકુમાર બારોટના પૂર્ણલગ્ન વર્ષ ૨૦૨૧ માં લલિતકુમાર બંસીલાલ બારોટ (રહે, જગુદણ મહેસાણા) સાથે થયા હતા. લલિત કુમાર નેનપુર ચોકડી પર દવાખાનું ચલાવી રહ્યા છે.  લગ્નના એક મહિના બાદ લલિતકુમાર તેમના દવાખાનામાં કામ કરનાર એક મહિલાના કહેવાથી પત્ની પર ખોટા વાંધા-વચકા કાઢી બોલાચાલી કરી ઝઘડા કરતા હતા. ગત તા. ૨૧/૧/૨૨ ના રોજ આ મહિલા અને તેમનો ભાઈ રાજુ રબારી લલિતકુમારને પત્ની વિરુદ્ધ ચઢવણી કરતા હોય પરસ્ત્રી સાથે રહેતા હતા, આ દરમિયાન દોઢ માસ પર પરસ્ત્રી ભાવનાબેનના ઘરે જઈ ઝઘડો કર્યો હતો.

(6:44 pm IST)