Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજપીપળા ST ડેપોની 50 ટકા બસો PM કાર્યક્રમમાં અન્યત્ર મોકલાતા 23 રૂટ બંધ,હજારો મુસાફરો અટવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોથી પચાસ ટકા જેવી બસો પીએમ નાં કાર્યક્રમ માટે બહાર અપાતા ડેપોના કેટલાક રૂટ બંધ કરાયા હોવાથી હજારો મુસાફરો અટવાઈ પડયા છે.
ડેપો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી આગળ આવેલાં નારગોલ ગામ ખાતે પીએમ મોદીના કાર્યક્રમ માટે રાજપીપળા એસટી ડેપો ની 52 રૂટો પર ઉપડતી બસો માથી 29 બસો ત્યાં આપવામાં આવતા 50 ટકા જેવી બસો ની ઘટ પડતા રાજપીપળા ડેપો માથી ઉપાડતાં રૂટ પૈકી 23 રૂટ પર જતી બસો બંધ કરવા ડેપો નાં સંચાલકો મજબૂર બન્યા હતા જેના કારણે આ 23 રૂટો પર જતા કે આવતા મુસાફરો અટવાઈ ગયા છે અને આ પરિસ્થિતિ બે દિવસથી જોવા મળતા આ હકીકત જાણવા મળી હોય સરકારી કાર્યક્રમોમાં એસટી બસોની ઉપયોગ બંધ કરી અન્ય વ્યવસ્થા ઉભી કરાઈ તેવી મુસાફરોની માંગ છે.

(10:28 pm IST)